ફંડફાળા અને ઉઘરાણા.
ભારત દેશની ગરીબ અને ભાવુક પ્રજા હમ્મેશા વિવિધ રીતે લુંટાતી રહી છે, ચોર લુંટારાઓ લુંટે તે તો સમજ્યા, પણ અન્ય સામાજિક રીવાજો , રુઢીઓ,અને શરમ માં નાખી ને થતા ઉઘરાણાઓ થી જનતા નુ શોષણ કરવાની રીત આપણા સમાજમાંજ જોવા મળે છે.ચાંલ્લા. પહેરામણી,વીરપસલી, રક્ષાબન્ધન, કરીયાવર,દહેજ,આણાપરિયાણા,ભેટ સોગાદ,સામુહિક ઉજવણી માટે પરાણે આપવો પડતો ફાળો,ધર્મગુરુઓને ભેટ, મન્દીરોના વિકાસ માટે નો ખરડો,કુદરતી આપત્તિ વખતે કે યુધ્ધના પ્રસંગેદેશભક્તિના નામે કે માનવતા ના નામે આપવા પડતી નાણાકિય સહાય,જેવા અગણિત ઉઘરાણાનો બોજો એક સામાન્ય માણસના ખભા પર લાદવામાં આવતો હોય છે.આપણા સામાજિક રીતરીવાજો ની ચક્કી માં ભારતિય નાગરિક નુ સતત શોષણ થતુ રહે છે, પિતા પુત્ર નુ શોષણ કરે છે, તો પુત્ર પિતાનુ શોષણ કરતો હોય છે, બહેન ભાઇનુ તો ભાઇ બહેનનુ શોષણ કરતો હોય છે, બાળકો માતાપિતા ના આશ્રિત રહી ને તેમનુ શોષણ કરતા હોય છે તો માતાપિતા તેમનુ પુરુ ન કરી શકતા હોઈ તેમની જરુરિયાતો પર કાપ મુકી ને તેમનુ શોષણ કરતા હોય છે, તે સિવાય, શિક્ષકો વિધ્યાર્થિઓ નુ, તબીબો દર્દીઓનુ અને જનતાનુ શોષણ સરકારી બ્યુરોક્રસી લાંચ રુશ્વત દ્વારા કરતી હોય છે, સરકારના અસહ્ય કરવેરા, સર્વીસ ટેક્ષ,ટોલટેક્ષ, વેચાણ વેરા, સ્થાનિક સંસ્થાઓ ના વેરા,ઓક્ટ્રોય, ભાવવધારા, જેવા અનેક પ્રકાર ના શોષણો થી ભારતિય જનતા ઘેરાયેલી હોય છે, .
રાજા રજવાડાની સંસ્થા ના અંતિમ દિવસો માં જેતે રાજ્યની પ્રજાએ રાજવિ પરિવાર ને અનેક પ્રકારના પ્રસંગોએ ભેટ, સોગાદો આપવી ને દરગુજર પડતી, જેમા પહેરામણી, હાથગરણુ,લગ્ન, પુત્રજન્મ, જેવા રાજાના અંગત કૌટુંબિક પ્રસંગો એ પ્રજાએ ખુશાલિ વ્યક્ત કરવા ભેટ આપવી પડતી. ખજાનાનો ભરેલો રાખવા અને પોતાના મોજશોખ પોષવા પ્રજા ઉપર ગમે ત્યારે ગમેતેવો કર નાખી દેવામાં આવતો, અને પ્રજાએ પોતાની શક્તિ હોય કે ન હોય, આ હુકમ નુ પાલન કરવુજ પડતુ.
આઝાદી પછી આ પ્રકારનો નાણાકિય ખર્ચ આપવાનુ બન્ધ થયુ, પણ સામાજિક રીવાજો તો રહ્યાજ, તે ઉપરાંત હવે બીજા પ્રકારના ઉઘરાણા શરુ થયા. ફંડફાળા ,લોકફાળો,વિકાસફાળો,રાહતફાળો,જેવાઉઘરાણા શરુ થયા, ફંડફાળાનુ આ ચલણ ગાંધીજી એ શરુ કર્યુ એમ કહી શકાય, તેમને વિદેશી સત્તા સામે લડવાનુ હતુ, દેશની આઝાદી માટે લડત આપવાની હતી, તેથી તેમને નાણાની જરુરિયાત લોકો પાસે થી મેળવવી પડતી, અને લોકો દેશ ને ખાતર આવા નાણા આપતા પણ ખરા, પણ આઝાદી પછી સ્વદેશી સરકાર આવી અને વહીવટ માટે નાણા ઉભા કરવા તેમણે વિવિધ પ્રકારના કરવેરા નાખ્યા. વહીવટ માટે, અને જાહેરહિતના કામો કરવા માટેકર નાખવા પડે તે સામે કોઈ વાંધો ન જ હોય,પણ કર ભરવા છતા લોકહિતના કામો થતા નથી,,કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, સ્થાનિક સંસ્થાઓ,જેવી સત્તાઓ પોતાના અલગ વેરા ઉઘરાવતી હોય છે,આટલા કર ભરવા છતા લોકો ને શું મલે છે..?લોકો આતંકવાદ નો ભોગ બનતા રહ્યા , સંરક્ષણ ની ફરજ બજાવવાના બદલેથોડા પ્રધાનો અને લોક પ્રતિનિધિઓના રક્ષણ માટે લોકોએ આપેલા નાણા ખર્ચાઈ રહ્યા છે,લોકોની સેવા કરવાના બહાને પ્રધાન, મંત્રી, સાંસદ, વિધાનસભ્ય કે ઉચ્ચ અધિકારીઓ બનેલા હજારબેહજાર લોકોના રક્ષણમાં પોલીસ ફોર્સ અને કમાન્ડો રોકાયેલા રહે અને સામાન્ય માણસ, કરભરનાર નાગરિક ખુલ્લેઆમ, ધોળે દિવસે લુંટાઈ જાય કે મરી જાય તો તેણે ભરેલા કરવેરા નુ તેને શું વળતર મલ્યુ..?કર વેરા વહીવટ માટે,લોકોના રક્ષણ માટે ,લોકોને સુવિધા પુરી પાડવા માટે, લોકોના કામ કરવા માટે નાખવામાં આવે છે.તેને બદલે અન્ય સમારમ્ભોમાં અંગત મિલ્કતો વસાવવામાં અને પોતાના ખીસા ભરવામાં વપરાઇ જાય અને કામ કરવામાટે ફરીથી વધુ કરવેરા, અને વધુ ફાળા એકત્ર કરવામાં આવે એ એક પ્રકારની ઉઘાડી લુંટજ છે. રસ્તાઓ બનાવવા માટે, પુલો બનાવવા માટે,રેલ્વેલાઇન નાખવા માટે, મોટા ડેમ બનાવવા માટે, નહેરો બનાવવા માટે, પાવરપ્લાંટ નાખવા માટે,આધુનિક શશ્ત્રો ખરીદવા માટે,એમ નાગરિકોના હિત ના અનેક પ્રકારના કામો માં ભ્રષ્ટાચાર અને ખાયકી થવા ના કારને પ્રજાના નાણા વેડફાઈ જાય અને વધુ ને વધુ નાણા પ્રજાએ આપતા જ રહેવુ પડે એનાથી મોટુ શોષણ બીજુ કયુ હોઈ શકે..?
અને તેમ છતા કુદરતી આપત્તિ વખતે કે યુધ્ધ જેવા સમયે પ્રજા પાસે વધારાના ઉઘરાણા તો ચાલતાજ હોય, જે કામ કરવા માટે પ્રજા કરવેરા આપે છે તે કામ કરવા માટે વધારાના ફંડફાળા તે શા માટે આપે..?તેથી દેશ ભક્તિ, માનવતા , નૈતિક ફરજ,નો દારુ પીવરાવી ને લોકો પાસે નાણા ઉઘરાવવામાં આવે છે. ધરતીકંપ વખતે વિદેશો થી આવેલા સાધનો, તંબુ, ફળો અને બીજી મૂલ્યવાન જણસો પિડિતો પાસે પહોંચવાના બદલે ક્યાં પહોંચી હતી એ કોણ જાણતુ નથી..?પુર, ધરતિકંપ, દુષ્કાળ,કે યુધ્ધ જેવી આપત્તિ વખતે સરકાર અને અન્ય સ્વૈચ્છિક સંસ્થાઓ ઉઘરાણા ની ટહેલ નાખી ની નીકળી પડે છે, તેમ શામાટે થવુ જોઈએ..?લોકો એ પેટે પાટા બાન્ધી ને કરવેરા ભર્યા છે, કર ન ભરનાર પર સરકારી તંત્ર તુટી પડે છે, આકરા દંડ ની જોગવાઈ કરે છે, તો આપત્તિ વખતે સરકારેજ તેનો સામનો કરવો જોઈએ, ફંડફાળા શામાટે ઉઘરાવવામાં આવે છે..?કારણ લોકોના કરવેરા ના પૈસા ખવાઈ જતા હોય છે, અને ફંડફાળા ની મળેલ રકમ પણ ગેરરીતીમાં ઉડી જતા હોય છે.આ રીતે થતુ પ્રજાનુ શોષણ અટકવુજ જોઈએ, લોકો ટેક્ષ પણ ભરે, ફંડફાળા પણ આપે. તો સરકારની કોઈ ફરજ નથી..?જો નાગરિકો એજ આપત્તિ વખતે ત્યાગ કરવાનો હોય, તો કરવેરા ની રકમ ક્યાં જાય છે..?આમ છતા દેશનો કયો નાગરિક સલામત છે..? ગમે ત્યાં બોમ્બ ધડાકા થતા હોય, ગમેત્યાં લુંટફાટ, ચોરી, બળાત્કાર, અને ગુંડાગીરી ચાલતી હોય, પડોશી દેશો આપણી જમીન પડાવી લેતા હોય, ઘુસણખોરી , અને બનાવટી ચલણ ઘુસાડીને દેશનુ અર્થતંત્ર તબાહ થતુ હોય,તો લોકોના પૈસા નો ક્યાં ઉપયોગ થાય છે એ પ્રશ્ન કેમ કોઈ પુછતુ નથી…?મતદાન એ આપણી પવિત્ર ફરજ છે તો મત મલ્યા પછી સારો વહીવટ કરવો અને લોકોના પૈસા નો લોકોના હિતમાં પ્રયોગ કરવો એ શું તેમની ફરજ નથી..?ફરજ બધી નાગરિકો નીજ, રાજ્યકર્તા માત્ર પૈસા ઉઘરાવવાનીજ ફરજ બજાવે એ કેવુ વરવુ ચિત્ર કહેવાય..?કરવેરા તો વધતાજ જાય છે અને આપત્તિઓ વખતે લોકોની લાગણી ઉશ્કેરી ને ફંડફાળા પણ ઉઘરાવવાનુ ચાલુ રહે છે, તો આને સરકાર કહેવી કે કાયદેસરની લુંટફાટ ચલાવતી ટોળી…?અહીં એ સ્પષ્ટ કરી લઉં. આ દેશ વિરોધી કે દેશદ્રોહી પ્રચાર નથી, પણ સરકારી તંત્રની ફરજો ઉપર ધ્યાન દોરવાની નમ્ર ચેષ્ટા છે, આપણી ફરજો આપણને વારમ્વાર યાદ કરાવવામાં આવે છે, આપણને વર્ષોથી ત્યાગ કરવાનુ કહેવામાં આવે છે તો સરકારી તંત્ર કેમ તેનો અમલ નથી કરતુ..? તેમને પગાર વધારામાં કોઈ વિરોધ નથી નડતો,કોઈએ એક પણ કમાંડો નો ખર્ચ ઓછો કર્યો..?કે એક રુપિયો પણ પગાર ભથ્થુ ઘટાડ્યુ..?પછી આપણ ને શામાટે અવારનવાર ભોગ આપવા માટે તૈયાર રહેવા નુ આહ્વાન આપવામાં આવે છે..?
આ લખવામાં મારી ભૂલ કે નાદાની હોઈ શકે છે એ હું કબુલ કરુ છું, પ્રબુધ્ધજનો ને જો આમાં કશુ અયુક્ત લાગતુ હોય તો નાદાની સમજી કરવા વિનંતિ.